કાશ્મીરી પંડિત હેરિટેજ ફાઉન્ડેશન (KPHF-UK)એ યુકે હાઉસ ઓફ કોમન્સ ખાતે જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના જોડાણ દિવસની ગૌરવપૂર્ણ અને પ્રતીકાત્મક રીતે ઉજવણી કરી હતી. તેમાં 1947માં ભારત સાથે આ પ્રદેશના જોડાણની કાયમી બંધારણીય અને ઐતિહાસિક કાયદેસરતા પર ભાર મૂકાયો હતો.